લોકસભાની ચૂંટણી પહેલા અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું સંમેલન યોજવામાં આવ્યું,,, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મોડાસાના સ્વામીનારાયણ મંદિર ખાતે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.. આ કાર્યક્રમમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા ત્રણસો જેટલા કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોને પ્રદેશ પ્રમુખે ખેસ પહેરાવી આવકાર્યા હતા…. મોડાસા તાલુકો, બાયડ તાલુકો તેમજ ધનસુરા તાલુકામાંથી મળી ત્રણસો જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા,, તો ગત વિધાનસભામાં આપમાંથી ટિકિટ નહીં મળતા અપક્ષમાંથી ચૂંટણી લડેલા પૂર્વ આપના નેતા રાહુલ સોલંકી પણ ભાજપમાં જોડાયા હતા… પ્રદેશ પ્રમુખે મોડાસા, માલપુર તેમજ ધનસુરા તાલુકા કક્ષાના કાર્યાલયનું પણ લોકાર્પણ કર્યું હતું,,,, આ સાથે જ લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પાંચ લાખથી વધારે મતથી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તો બીજી બાજુ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ ગત વિધાનસભામાં ટિકિટ નહીં મળતા અપક્ષમાંથી ચૂંટણી જીતેલા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પ્રદેશ પ્રમુખે મીઠી ટકોર કરી હતી. જાહેર મંચ પરથી તેમણે કહ્યું કે, વારંવાર પક્ષ બદલવા કરતા ગુંદર ચોંટાડી એક બાજુ બેસી જાઓ, વારંવાર પક્ષ બદલવાને કારણે કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.