ભારતીય બંધારણના મુખ્ય આર્કિટેક્ટ ડૉ બી.આર. આંબેડકરની ભારત બહારની ‘સૌથી મોટી’ પ્રતિમાનું ઉદ્ઘાટન 14 ઓક્ટોબરે મેરીલેન્ડ, યુએસએમાં કરવામાં આવશે. આ 19 ફૂટની પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ નામ આપવામાં આવ્યું છે, જેને પ્રખ્યાત કલાકાર અને શિલ્પકાર રામ સુતાર દ્વારા બનાવવામાં આવી છે. રામ સુતાર કે જેમણે ગુજરાતમાં સ્થાપિત સરદાર પટેલની પ્રતિમા બનાવી હતી. ડો.આંબેડકરની પ્રતિમા એકદમ ભવ્ય લાગે છે.
આંબેડકરની પ્રતિમા મેરીલેન્ડના એકોકિક શહેરમાં 13 એકર જમીન પર બાંધવામાં આવી રહેલા ‘આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર’ (AIC)નો એક ભાગ છે. AICએ કહ્યું, ‘ભારતની બહાર બાબાસાહેબની આ સૌથી મોટી પ્રતિમા છે અને આ કેન્દ્રમાં આંબેડકર સ્મારકના ભાગરૂપે તેને સ્થાપિત કરવામાં આવી રહી છે.’ આયોજકોના જણાવ્યા અનુસાર, વ્હાઇટ હાઉસથી 21 માઇલ દૂર અકોકીક શહેરમાં સ્થાપિત પ્રતિમા, તાજેતરમાં હૈદરાબાદમાં અનાવરણ કરાયેલ વિશ્વની સૌથી મોટી 125 ફૂટની આંબેડકર પ્રતિમા જેવી છે.
“આંબેડકરવાદી ચળવળના પ્રતિનિધિઓ અને યુએસ અને વિશ્વના અન્ય ભાગોમાંથી તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે,” એઆઈસીએ જણાવ્યું હતું કે સ્મારક બાબાસાહેબના સંદેશાઓ અને ઉપદેશોને ફેલાવશે અને સમાનતાને પ્રોત્સાહન આપશે. 14 ઓક્ટોબરે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે, જેમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.