18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
શિવજીની આ પ્રતિમાની સુવર્ણજડિતની કામગિરી પૂર્ણ કરવામાં આવી રહી છે. શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર આશરે 17.5 કિલો સુવર્ણ ચઢાવવામાં આવ્યું છે. વડોદરામાં પણ શિવજી કી સવારી નિકળશે જેમાં સમગ્ર શહેરના લોકોને આ ઉત્સવની અંદર જોડવામાં આવશે. 2020માં પ્રતિમાને સુવર્ણ આવરણ ચઢાવવાનું કાર્ય શરુ થયું હતું. ત્યારે ભગવાન શિવની આ મૂર્તિનું અનાવરણ હટાવી દેતા સુંદર સુવર્ણજડીત મૂર્તિના દર્શન ભાવી ભક્તોને શિવરાત્રિ પહેલા જ થયા હતા.
વડોદરા શહેરની અંદર છેલ્લા 10 વર્ષથીટ શિવજી કી સવારી નિકળે છે. મહાશિવરાત્રીના શુભ અવસરે સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા ભગવાન શિવની સવારીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં શહેરભરમાંથી લોકો આ સવારીમાં જોડાશે ત્યારે પરંપરાગત રીતે મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે.
ધારાસભ્ય યોગેશ પટેલ 2017ની અંદર મિત્રો સમક્ષ સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. આ પ્રતિમા માટે શહેર તેમજ જિલ્લા અને રાજ્ય તેમજ દેશ અને વિદેશના અનેક દાતાઓને ફાળો આપ્યો છે. લગભગ 12 કરોડના ખર્ચે મૂર્તિનું કામ તૈયાર કરાયું છે.