એલજી વિનય સક્સેનાએ દિલ્હી સરકારને જેસ્મીન શાહની સરકારી ગાડી અને સ્ટાફને પરત બોલાવી લેવાનો આદેશ આપ્યો છે. એલજી ઓફિસ તરફથી આદેશ મળ્યા બાદ એસડીએમ સિવિલ લાઈન્સે ગુરુવારે રાત્રે જ ડીડીડીસી ઓફિસ પરિસરને સીલ કરી દીધું હતું
એલજી વિનય સક્સેનાએ દિલ્હી સરકારને જેસ્મીન શાહની સરકારી ગાડી અને સ્ટાફને પરત બોલાવી લેવાનો આદેશ આપ્યો છે. એલજી ઓફિસ તરફથી આદેશ મળ્યા બાદ એસડીએમ સિવિલ લાઈન્સે ગુરુવારે રાત્રે જ ડીડીડીસી ઓફિસ પરિસરને સીલ કરી દીધું હતું. જણાવી દઈએ કે, જેસ્મીનને 4 વર્ષ પહેલા દિલ્હી ડાયલોગ એન્ડ ડેવલપમેન્ટ કમિશનના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. કેજરીવાલની કેબિનેટે તેમના નામને મંજૂરી આપી હતી. તેમના પર કેજરીવાલ સરકારની થિંક ટેન્ક તરીકે કામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
જેસ્મીન શાહ સરકારી પદ પર રહીને પણ ટીવી ચેનલો પર ડિબેટમાં ભાગ લેતા હતા અને આમ આદમી પાર્ટીનું સમર્થન કરતા હતા. ભાજપ તરફથી આ અંગે લેફ્ટનન્ટ ગવર્નરને ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ એલજી ઓફિસ દ્વારા તેમને અગાઉ પણ ચેતવણી આપવામાં આવી હતી. ત્યારે કેજરીવાલે પણ તેમનો બચાવ કર્યો હતો. હવે જેસ્મીનને હોદ્દા પરથી બરતરફ કરીને તેમની ઓફિસને તાળા પણ મારી દેવામાં આવ્યા છે. હવે આ મામલે રાજકારણ પણ જોવા મળી શકે છે.
આ મામલે દિલ્હી બીજેપી નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાએ ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે બીજેપી સાંસદ સાહિબ સિંહ વર્માની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નરે ડીડીસીડીના ઉપાધ્યક્ષ જેસ્મીન શાહની ઓફિસને સીલ કરી દીધી છે અને મુખ્યમંત્રી કેજરીવાલને જેસ્મીન શાહને હટાવવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જેસ્મીન શાહ પર તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે. બીજેપી સાંસદ પરવેશ સિંહ વર્માની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે મારી ફરિયાદ પર એલજી સરએ ડીડીસીડી વીસી જેસ્મીન શાહને હટાવવાનો આદેશ આપ્યો છે.