December 19, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો અમૃત કળશ મહોત્સવ યોજાયો
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો અમૃત કળશ મહોત્સવ યોજાયો

by gujarat paheredarOctober 28, 20230
શેર 0
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અમૃત કળશ મહોત્સવ પ્રસંગે જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ ઝડપથી વિકાસ પામ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગયા વર્ષે આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આપણે અમૃત મહોત્સવની ઉજવણી કરીને અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ.
‘મારી માટી, મારો દેશ’ અભિયાન વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણી આઝાદીના મૂળ વીર શહીદોના રક્ત અને પરિશ્રમથી સિંચાયેલા છે. દેશના ખૂણે ખૂણે અનેક વીરરત્નોએ ભારતમાતાની મુક્તિ માટે પોતાની જાન ખપાવી છે. આવા વીર સપૂતોને વંદન કરવા માટે માનનીય વડાપ્રધાનશ્રીએ ‘મારી માટી, મારો દેશ’ જનઅભિયાન શરૂ કરાવ્યું, જેણે દેશવાસીઓમાં અનેરી રાષ્ટ્રચેતનાનો સંચાર કર્યો અને દેશના વીર શહીદોની બલિદાની અને તેમના જીવનને સમજવાનો અવસર પૂરો પાડ્યો.
આ પ્રસંગે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન તરીકે માનનીય નરેન્દ્રભાઇ મોદીએ જ્યારથી દેશની ધૂરા સંભાળી છે ત્યારથી રોજેરોજ દેશદુનિયામાં આપણું ગૌરવ દિનપ્રતિદિન વધતું રહ્યું છે. સૌ દેશબાંધવો હંમેશા એકજૂટ થઈને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના નિર્માણમાં સહભાગી તેવા પ્રયત્નો વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સતતપણે કરવામાં આવી રહ્યાં છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રીના કાર્યકાળમાં લેવામાં આવેલા વિવિધ મહત્વના નિર્ણયો અને કાર્યક્રમો વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પાછલાં 9 વર્ષોમાં માનનીય વડાપ્રધાનશ્રીના દૂરંદેશી નેતૃત્વમાં દેશનું ગૌરવ વધે તેવા અનેકવિધ નિર્ણયો લેવામાં આવ્યાં છે તથા વિવિધ કાર્યો અને કાર્યક્રમો યોજવામાં આવ્યાં છે. રામમંદિર નિર્માણ, કલમ 370 નાબૂદી, ઓપરેશન દોસ્ત, કાવેરી, ગંગા, અજય જેવા ઓપરેશન થકી વિદેશોમાંથી આપણા નાગરિકો અને વિદ્યાર્થીઓને સલામત રીતે યુદ્ધ ક્ષેત્રોમાંથી પરત લાવવા સહિતના અનેકવિધ ગૌરવકાર્યો વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પરિપૂર્ણ કરવામાં આવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં વાત કરતા જણાવ્યું કે, ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ અન્વયે કુલ 29,925 વીરો, વીરંગનાઓ અને તેમના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું છે. 21 લાખ જેટલા નાગરિકો અનોખી રાષ્ટ્રભાવના સાથે ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાયા. રાજ્યભરમાંથી ગામે ગામથી માટી અને ચોખા એકત્રિત કરીને 15,000 જેટલા કળશ દિલ્હી ખાતે મોકલવામાં આવનાર છે, જે નિર્માણ પામનાર અમૃતવાટિકામાં ગુજરાતની અસ્મિતાને ધબકતી રાખશે. આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાનશ્રી દ્વારા આપવામાં આવેલા પાંચ સંકલ્પો સાથે રાખીને પોતાના કર્તવ્યપાલન થકી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત સૌને વિનંતી કરી હતી.
નવસારીના સાંસદ શ્રી સી.આર.પાટીલે અમૃત કળશ મહોત્સવ પ્રસંગે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના અમૂલ્ય બલિદાનના કારણે આપણને મળેલી મહામૂલી આઝાદી માટે શહાદત વહોરનાર દરેક વીર જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપવા દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આમ, આ માતૃભૂમિને નમન કરવાના અને દેશના સપૂતોને શ્રદ્ધાંજલિ આપવાના આ અભિયાન થકી જન-જનમાં રાષ્ટ્રભાવના વધુ સબળ બની છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ અભિયાન અંતર્ગત રાષ્ટ્રના રક્ષક વીરોનું સન્માન કરવામાં આવ્યું અને ગ્રામ્ય, પંચાયત, તાલુકા, શહેરી, સ્થાનિક સંસ્થા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અભિયાન થકી આઝાદી કા અમૃત મહોત્સવની સાર્થક ઉજવણી કરવામાં આવશે. હવે દેશના ખૂણે ખૂણેથી માટીના કળશ દિલ્હી ખાતે લઇ જવામાં આવશે. દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નજીક કળશ મારફતે ભેગી થયેલી માટીથી અમૃત વાટિકા તૈયાર કરવામાં આવશે. આમ, વડાપ્રધાનશ્રીના સંકલ્પથી નિર્માણ પામનાર અમૃત વાટીકા ‘એક ભારત,શ્રેષ્ઠ ભારત’નું પ્રતિક બનશે એવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે યોજાયેલા ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમમાં રાજ્યભરમાં અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો છે. દેશભરમાં શહીદોના બલિદાનને સન્માનવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં સૌ કોઈ અનોખા જોમ અને જુસ્સા સાથે સહભાગી થયા. રાજ્યભરમાં 15 હજારથી વધુ ગામોમાં કળશ યાત્રાઓ યોજાઈ તથા આવનારી પેઢીને પોતાના શહીદોના બલિદાનનું મહત્વ સમજાવવા માટે શીલા ફલકમનું નિર્માણ કરવામાં આવ્યું. એટલું જ નહિ, ગામેગામ વૃક્ષારોપણ દ્વારા અમૃત વાટીકાનું નિર્માણ કરવામાં આવ્યું તથા ગામેગામથી પવિત્ર માટી એકઠી કરવામાં પ્રજાજનો સહભાગી થયા. આ એક ઐતિહાસિક ઉત્સવ છે એમ તેમણે ઉમેર્યું હતું.
સ્વાગત ઉદબોધનમાં વધુ વાત કરતા ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના આહવાનને પગલે ગતવર્ષે પણ લોકો આ જ ઉત્સાહથી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. કોરોનાકાળમાં પણ આપણે આપણા ફ્રન્ટ લાઈન વોરિયર્સને સાથે મળીને વધાવ્યાં હતા અને તેમનું ઉત્સાહ વર્ધન કર્યું હતું. આજે આપણે આઝાદીના અમૃત કાળમાં ચંદ્ર સુધી પહોંચ્યા છીએ. આપણે આપણી મૂળ આસ્થાનું કેન્દ્ર એવી આપણી માટીને આ ભવ્ય કાર્યક્રમ દ્વારા નમન કરી રહ્યાં છીએ. સાથે જ આ કાર્યક્રમ દ્વારા આપણે આપણી સરહદોને સુરક્ષિત રાખતા આપણા વીર શહીદો અને તેમની વીરાંગનાઓને વંદન કરીએ છીએ એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ‘મારી માટી, મારો દેશ’ના ગુજરાત અભિયાનની ફિલ્મ અને મિટ્ટી એંથમનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ભવ્ય અમૃત તિરંગા યાત્રા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી અમૃત કળશયાત્રાઓને સન્માન કરીને વધાવવામાં આવી હતી તથા ઉપસ્થિતોને પંચ પ્રણ પ્રતિજ્ઞા અને એકતા દિવસ પ્રણ લેવડાવવામાં આવ્યાં હતાં.
આ અમૃત કળશ મહોત્સવ પ્રસંગે મંત્રીમંડળના સર્વે મંત્રીશ્રીઓ, અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભા જૈન, કેન્દ્રીય મંત્રી અને સંસદ સભ્ય શ્રી દર્શનાબેન જરદોશ, ધારાસભ્યશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે, મ્યુનિ. કમિશ્નર શ્રી એમ. થેન્નારસન, અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારીઓ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સભ્યો, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કળશ સાથે પધારેલા જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ/સભ્યશ્રીઓ સહિત રાજ્યના વિવિધ પુરસ્કાર મેળવેલ મહાનુભાવો, કલાકારો, સામાજિક અગ્રણીઓ, વિવિધ પોલીસ શાખાઓના જવાનો, સંતો-મહંતો, ઋષિકુમારો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં

શેર 0
અગાઉની પોસ્ટ
દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગ એસ.ટી.નિગમ ૨૨૦૦થી વધુ એકસ્ટ્રા બસો દોડાવશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
આગામી પોસ્ટ
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NFSUને ફાળવાયેલી 5G લેબનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન કર્યું
gujarat paheredar

Related posts

વડોદરા ગેસ લીકેજ થતા માતા પૂત્ર દાઝ્યા, પરીવારે પુત્ર ગુમાવ્યો

gujarat paheredarJanuary 22, 2023

અમરેલી ભુ માફીયાઓનો આતંક રેતી ચોરીમાં અમરેલી નંબર વન…વારંવાર રજૂઆત છતાં તંત્ર ચૂપ કેમ ?

gujarat paheredarJanuary 1, 2023

દરિયાની સપાટી વધતા આ વિસ્તારોમાં જોખમ, 537 કિમી જમીનમાં પાણી ઘૂસ્યા

gujarat paheredarDecember 22, 2022

ગુજરાતમાં 24 જુલાઈએ 3 બેઠક માટે રાજ્યસભાની ચૂંટણી યોજાશે, કેન્દ્રીય ચૂંટણીપંચે જાહેર કર્યો કાર્યક્રમ

gujarat paheredarJune 28, 2023

અરવલ્લીમાં શાળા-કોલેજ માં બાળકોને હજુ સુધી સરકારી શિષ્યવૃત્તિ જ મળી નથી, ભારે હાલાકી

gujarat paheredarApril 11, 2023

ભારત જોડો યાત્રા પછી, 26 જાન્યુઆરીથી કોંગ્રેસ શરુ કરશે હાથથી હાથ જોડો અભિયાન

gujarat paheredarDecember 4, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Dôkladný Manuál K Používaniu Peňazí V Premier Digitálnych Herných Platformách ❖ Slovenský región 🎇

AdminNovember 19, 2025November 20, 2025
November 19, 2025November 20, 20250

Fenikss Casino Online reģistrācija: Kā vienkārši sākt spēlēt?

AdminOctober 11, 2025October 13, 2025
October 11, 2025October 13, 20250

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

134196
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક