રિલાયન્સથી TCS અને અદાણી એન્ટરપ્રાઈઝના શેર “ટ્રેડ-પ્લસ-વન-ડે” ટાઇમલાઇન મુજબ સેટલ કરવામાં આવશે. જ્યારે તેઓ અગાઉની બે દિવસની પ્રોસેસમાં સેટલમેન્ટ થતી હતી.. સેટલમેન્ટ માટે ટ્રેડ-પ્લસ-વન-ડેના અમલીકરણથી કામગીરીની કાર્યક્ષમતામાં વધારો થશે. આનાથી ફંડ અને સ્ટોકના રોલિંગમાં ઝડપ આવશે
નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઈસ-ચેરમેન પ્રશાંત વાગલે જણાવ્યું હતું કે વર્ષ-લાંબી બદલાવની પ્રક્રિયાએ બજાર વચોટીયાઓને તૈયાર કરવા માટે સમય આપ્યો છે.
બદલાવનો આ છેલ્લો તબક્કો વિદેશી રોકાણકારો દ્વારા નજીકથી જોવામાં આવશે. જેમણે ટાઇમઝોન તફાવતો અને પરિણામે વેપાર-મેળિંગ નિષ્ફળતાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ નિર્ણયના સમર્થકો કહે છે કે ઝડપી સેટલમેન્ટ કાઉન્ટરપાર્ટી રિસ્ક અને ટ્રેડિંગ ખર્ચ ઘટાડી શકે છે.
કોટક સિક્યોરિટીઝ લિમિટેડના જોઈન્ટ પ્રેસિડેન્ટ સુરેશ શુક્લાએ જણાવ્યું હતું કે આ ફેરફારથી ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો થશે કારણ કે ફંડ્સ અને સ્ટોકનું રોલિંગ ઝડપી થશે.
બ્લૂમબર્ગમાં પ્રકાશિત સમાચાર અનુસાર, યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને એક દિવસીય સેટલમેન્ટ સાયકલ અપનાવવા માટે સ્ટેકહોલ્ડર્સના મંતવ્યો માંગ્યા છે. યુરોપની એક ઉદ્યોગ સંસ્થા આ અંગે ચર્ચા કરી રહી છે.
SECના અધ્યક્ષ ગેરી ગેન્સલરે જણાવ્યું હતું કે, “સેટલમેન્ટના સાયકલને ટૂંકાવીને ક્લિયરિંગહાઉસ દ્વારા રાખવા માટે જરૂરી માર્જિનનું પ્રમાણ પણ ઘટાડવું જોઈએ.” આ પર ભાર મૂકતા તેમણે કહ્યું, “જૂની કહેવત છે તેમ, સમય એ નાણાંનો અર્થ છે કે સમય પૈસા છે.