પીએમએલ-એન નેતાએ કહ્યું કે, દોઢ વર્ષ પહેલા આતંકવાદીઓને દેશમાં સ્થાયી થવા દેવામાં આવ્યા હતા અને ખતરનાક રમતો રમાઈ હતી. ટીકાકારોને દેશ છોડવાની ફરજ પડી હતી.
ખ્વાજા આસિફે કહ્યું કે, પાકિસ્તાનની સમસ્યાઓનો ઉકેલ આંતરિક રીતે શોધી શકાય છે. કારણ કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) આ બાબતે મદદ કરી શકે તેમ નથી. મંત્રીએ દેશની વર્તમાન પરિસ્થિતિ માટે તંત્ર, નોકરશાહી અને રાજકારણીઓને જવાબદાર ગણાવ્યા અને કહ્યું કે, પાકિસ્તાનના બંધારણની વારંવાર અવગણના કરવામાં આવી રહી છે. પીએમએલ-એન નેતાએ કહ્યું કે, દોઢ વર્ષ પહેલા આતંકવાદીઓને દેશમાં સ્થાયી થવા દેવામાં આવ્યા હતા અને ખતરનાક રમતો રમાઈ હતી. ટીકાકારોને દેશ છોડવાની ફરજ પડી હતી.
‘આતંકવાદ સામે સમગ્ર દેશને એક થવાની જરૂર છે’
જો કે, તેમણે કરાચી પોલીસ ઓફિસ પર આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા દળોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, સુરક્ષાકર્મીઓએ આખી રાત બહાદુરીપૂર્વક આતંકવાદીઓનો સામનો કર્યો હતો. મંત્રી આસિફે કહ્યું કે, આતંકવાદ કોઈ ધર્મ કે સંપ્રદાય વચ્ચે ભેદ રાખતો નથી. ધર્મના નામે આતંકવાદનો ઉપયોગ અમૂલ્ય જીવ લેવા માટે થાય છે. મંત્રીએ કહ્યું કે, આતંકવાદ સામે સમગ્ર દેશને એક થવાની જરૂર છે અને તો જ તેની સામે લડાઈ લડી શકાશે. અમે હજુ પણ તેના પ્રત્યે સજાગ નથી. તેની ખરાબ અસર સતત સામે આવી રહી છે