સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઇ ગયો : ૪.૭૩ મિલીયન એકર ફૂટજીવંત જથ્થો એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો ડેમમાં સંગ્રહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આ ઐતિહાસિક ઘડીએ એકતાનગર ખાતે મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના
વધામણા કર્યાં
વૈશ્વિક નેતા સૌના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિનની શુભકામના પાઠવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધની જળ સપાટી પૂર્ણ કક્ષાએ પહોંચી
ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે પાણીનો આ વધુ આવરો થવાથી રાજ્યના ગામો નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સિઝન સુધી પુરતું પાણી સિંચાઈ અને પીવા માટેઆપી શકાશે નર્મદા કમાન્ડ વિસ્તારના બધા જ ગામોના ખેડૂતોને રવિપાકની સિંચાઈના હેતુ માટેનર્મદાનું પર્યાપ્ત પાણી મળશે
નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણે સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને
અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલનર્મદા જળ આપવામાં આવી રહ્યા છે
અંદાજે ૧૮,૪૧,૫૬૬ ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા બંધમાંથી હાલ છોડવામાં આવે છે
સરદાર સરોવર યોજના થકી ૯૧૦૪ ગામો ૧૯ શહેરો ૭ મહાનગરપાલિકાઓની કુલ આશરે ૪ કરોડની જનસંખ્યાને નર્મદા
જળ મળે છે ક૩ હજાર કિલોમીટર લંબાઇના નહેર માળખાથી કચ્છના રણપ્રદેશ સુધી નર્મદા જળ સિંચાઇ અને પીવાના ઉપયોગમાટે
મળી રહ્યા છે. રાજપીપલારવિવાર – ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ ક્ક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશ્યમાં ૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે૫,૭૬ લાખ કરોડ લીટર
પાણીનો સંગ્રહ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌસ્વ ઘટનામાં સહભાગી થઇ મા નર્મદા” ના નીરના વધામણા રવિવારેવહેલી સવારે એકતાનગર સરદાર સરોવર ડેમ પર પહોંચીને ર્યા
હતા. વૈશ્વિક નેતા સૌના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીનેમુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જન્મદિનની
શુભકામના પાઠવી હતી.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, સરદાર
સરોવર નર્મદા ડેમ ૨૦૧૯ ૨૦૨૦ અને ૨૦૨૨ પછી આ વર્ષે પણ ૨૦૨૩માં પૂર્ણ
જળાશય સપાટીએ ફરી એકવાર છલકાયો છે. એકતાનગર ખાતે નમામી દેવી નર્મદેના મંત્રોચ્ચાર સાથે આયોજિત નર્મદા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ જોડાયા હતા અને મા નર્મદાના જળના તેમણે શ્રીફળ ચુંદડીના વધામણાં કર્યા હતા. આ વર્ષે થયેલા વ્યાપક વરસાદને પરિણામે નર્મદા બેસિન અને ડેમમાં પાણીની સારી આવક થઈ છે
પાણીનો આ અવરો થવાથી રાજ્યના ગામો નગરો અને શહેરોમાં આગામી ઉનાળાની સીઝન સુધી પુરતું પાણી આપી શકાશે અને પાણીની તંગીનો સામનો કરવાની સ્થિતિ ઊભી થશે નહીં. એટલું જ નહીં નર્મદા કમાન્હ વિસ્તારના બધા ગામોના ખેડૂતોને રવી પાકની સિંચાઈઅને પીવાનું પાણી નર્મદાનું પર્યાપ્ત પાણીમળી રહેશે
આ ઉપરાંત નર્મદા ડેમમાં પાણીની વધુ ઉપલબ્ધિને કારણેક સૌરાષ્ટ્રમાં સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ અને અન્ય ઉદવહન યોજનાઓ માટે હાલ નર્મદાના જળ આપવામાં આવી રહ્યા છે.અમૃત સરોવર અને રાજ્યના ગામોના તળાવોમાં જળ સંગ્રહ કરવામાં આવશે.
ગુજરાતના ૯૧૦૪ ગામો ૧૬૯ શહેરો અને ૭મહાનગરપાલિકા મળી રાજ્યની ૪ કરોડથી વધુ જનસંખ્યાને પીવાના પાણી તરીકે નર્મદા જળ પહોંચી રહ્યા છે એટલું જ નહિ ૬૩,૪૮૩ પરિણામે કિલોમીટર લંબાઇના નહેના કામો પૂર્ણ થઇ ગયા છે તેના કચ્છ સહિત રાજ્યના ૧૭ જિલ્લાના ૭૮ તાલુકાની ૧૬.૯૯ લાખ હેક્ટર જમીનને સિંચાઇ સુવિધા મળે છે.
નર્મદા મૈયાના પાવન જળ કેવડીયા એકતાનગરથી ૭૪૩ કિ.મીટરની યાત્રા પૂરી કરીને કચ્છના છેક છેવાડાના વિસ્તાર મોડકુબા સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને રાજ્ય સરકારના ઈજનેરી કૌશલ્યથી પહોંચ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ૨૦૧૪માં દેશનું સુકાન સંભાળ્યાના માત્ર ૧૭ દિવસમાં જ આ બહુહેતુક સરદાર સરોવર નર્મદા ડેમને પૂર્ણ ઊંચાઇ સુધી લઇ જવાની મંજૂરી આપી હતી અને ગુજરાતના વર્ષો જુના પ્રશ્નનો અંત લાવી રાજ્યને ઉજ્જવળ ભાવિની દિશા આપી હતી. રાજ્ય સરકારે પણ મંજૂરીમળ્યાના દિવસથી જ કામગીરીનો આરંભ કરીને નર્મદા બંધની પૂર્ણ ૧૩૮.૬૮ મીટરની ઊંચાઇ સુધી પહોંચાડવાનું કાર્ય નિયત સમય કરતાં 8 મહિના વહેલું પુર્ણ કરી દીધું હતું. વડાપ્રધાનના જવરદ હસ્તે તા. ૧૭ મી સપ્ટેમ્બરે આ બહુહેતુક યોજના રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી છે.
વર્ષ ૨૦૧૯ માં નર્મદા ડેમ ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ કક્ષાએ ભરાતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા નીરના વધામણાં
ર્યાં હતાં. ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૨માં પણ ડેમ પૂર્ણ ક્ક્ષાએ ભરાઇ ગયો હતો અને હવે ૨૦૨૩માં ચોથીવાર ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ડેમ ભરાઇ જતાં મુખ્યમંત્રી ભૂપેદ્ર પટેલે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરી જળ વધામણાં કર્યા હતા.
આનર્મદા જળ વધામણાં અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિહભાઈ તડવી ધારા સભ્ય ડો.દર્શનાબેન દેશમુખ નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્રસચિવ કે કૈલાશનાથન, સરદાર સરોવર નિગમના એમ.ડી. મુકેશ પુરી, સરદારસરોવર નિગમના ડાયરેક્ટર સી.વી. નાદપરાઅને પી.સી. વ્યાસ જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા એસ.ઓ.યુ.ના સી.ઇ.ઓ. ઉદિત અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિતના વિવિધ પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.