June 25, 2025
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • પ્રસિદ્ધ મંદિરો ધરાવતી આ બેઠકો પર નથી ચાલતું ભાજપનું હિન્દુત્વ કાર્ડ, શું આ વખતે જીતી શકશે ભાજપ?
ગુજરાતબ્રેકિંગ ન્યુઝ

પ્રસિદ્ધ મંદિરો ધરાવતી આ બેઠકો પર નથી ચાલતું ભાજપનું હિન્દુત્વ કાર્ડ, શું આ વખતે જીતી શકશે ભાજપ?

by gujarat paheredarNovember 24, 20220
શેર 2

ત્યારે હવે આગામી ચૂંટણીમાં આ બેઠકો પર જીત મેળવવા માટે ભાજપે અહીં સમીકરણો બદલીને નવી વ્યૂહરચના અપનાવી છે. ભાજપે બે ધારાસભ્યોને તોડ્યા, 3 પૂર્વ ઉમેદવારોને રિપીટ કર્યા અને 4 નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય, આ બેઠકો પર વડાપ્રધાન જાતે પ્રચાર કરી રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે, 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે, ત્યારે દરેક રાજકીય પક્ષો ચૂંટણીમાં જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભલે ગુજરાત ભાજપનો ગઢ હોય અને છેલ્લા 27 વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકાર હોય, પણ ઘણી બેઠકો એવી છે કે જેના પર કોંગ્રેસનું વર્ચસ્વ છે.

Advertisement

ભલે ગુજરાતમાં ભાજપનું હિન્દુત્વનું કાર્ડ ચાલે છે, પણ ગુજરાતમાં જ્યાં તીર્થધામો આવેલા છે ત્યાં કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળે છે. જણાવી દઈએ કે ગુજરાતમાં 10 બેઠકો એવી છે કે જેના માટે વિસ્તારમાં તીર્થધામો આવેલા છે, ત્યારે એવું હોવું જોઈએ કે ત્યાંની બેઠક ભાજપના હાથમાં હોવી જોઈએ, પણ ભાજપના કમનસીબે આ બેઠકો કોંગ્રેસ જીતે છે.

ત્યારે હવે આગામી ચૂંટણીમાં આ બેઠકો પર જીત મેળવવા માટે ભાજપે અહીં સમીકરણો બદલીને નવી વ્યૂહરચના અપનાવી છે. ભાજપે બે ધારાસભ્યોને તોડ્યા, 3 પૂર્વ ઉમેદવારોને રિપીટ કર્યા અને 4 નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. આ સિવાય, આ બેઠકો પર વડાપ્રધાન જાતે પ્રચાર કરી રહ્યા છે. અંબાજીમાં રેલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, બહુચરાજીમાં મોઢેરા સોલર વિલેજનું લોકાર્પણ જેવા કાર્યક્રમ પણ વડાપ્રધાન મોદીએ કર્યા. વડાપ્રધાને ચૂંટણી પ્રચારની શરૂઆત સોમનાથથી કરી અને વેરાવળમાં સભામાં ગર્જના કરી, જયારે એ પછી તેમને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સભા કરી હતી. ભાજપે આ વખતે કેન્દ્રીયો મંત્રીઓ, સાંસદો સહિતના સ્ટાર પ્રચારકોને આ તમામ બેઠકો પર પ્રચાર માટે ઉતાર્યા છે.

સોમનાથ – દેશના 12 જ્યોતિર્લિંગમાંથી પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ ગણાય છે. અહીં 1998 અને 2007માં ભાજપને જીત મળી હતી, જયારે 2002, 2012 અને 2017માં આ બેઠક પર કોંગ્રેસ જીતી હતી. ભાજપે 2017માં જશા બારડને ટિકિટ આપી હતી, જેઓ 2012માં અહીંથી જીત્યા હતા, પરંતુ કોંગ્રેસે તેમની સામે ઉભા રાખેલા ઉમેદવાર વિમલ ચુડાસમાને અહીંથી જીત મળી હતી. આ વખતે કોંગ્રેસે વિમલ ચુડાસમાને ટિકિટ આપી છે તો ભાજપે અહીં નવા ચહેરાને તક આપતા માનસિંહ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. નોંધનીય છે કે ગીર સોમનાથ જિલ્લાની ચારેય બેઠક કોંગ્રેસ પાસે છે, ત્યારે ભાજપ અહીં જીતવા માટે મરણિયા પ્રયાસ કરી રહ્યું છે.

ચોટીલા – ભાજપને ચોટીલા બેઠક પરથી માત્ર એક જ વાત જીત મળી છે, 2012માં. આ સિવાય ભલે રાજ્યમાં ભાજપ આવે પણ આ સીટ પર કોંગ્રેસનું જ વર્ચસ્વ રહ્યું છે. આ વખતે ભાજપે આ સીટ પર શામજી ચૌહાણને તક આપી છે, જયારે કોંગ્રેસને ધારાસભ્ય ઋત્વિક મકવાણા પર વિશ્વાસ છે. ભાજપે 2012માં ધારાસભ્ય રહેલા શામજી ચૌહાણને 2017માં પણ તક આપી હતી, પણ તેઓ જીતી શક્યા ન હતા. ત્યારે આ વખતે ફરી એકવાર ભાજપે ચોટીલા બેઠક પરથી શામજી ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે.

અંબાજી, દાંતા – માતાજીના 51 શક્તિપીઠોમાંથી એક છે અંબાજી, અંબાજી દાંતા બેઠકમાં આવે છે, અહીં અત્યાર સુધીમાં એકપણ વાર ભાજપને જીત મળી નથી. 1998થી 2017 સુધીમાં થયેલી તમામ ચૂંટણીમાં અહીં કોંગ્રેસે જીત મેળવી છે. આ વખતે કોંગ્રેસે ધારાસભ્ય કાંતિ ખરાડીને ટિકિટ આપી છે, જેમને આગળ પણ બે વાર કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે, જયારે ભાજપે અહીં નવા ચહેરા લધુભાઇ પારગીને ટિકિટ આપી છે.

ખેડબ્રહ્મા – ખેડબ્રહ્મા નાના અંબાજી તરીકે જાણીતું તીર્થધામ છે, જ્યાં પણ 24 વર્ષથી કોંગ્રેસનું વર્ચસ્વ છે. અહીં આ વખતે ભાજપે અશ્વિન કોટવાલને ટિકિટ આપી છે, જેઓ સતત ત્રણ વાર જીત્યા છે, જયારે એમની સામે કોંગ્રેસે તુષાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે, જે પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે.

માતાનો મઢ, અબડાસા – આશાપુરા ધામ, માતાનો મઢ કચ્છમાં અબડાસા બેઠકમાં આવે છે. અહીં 2022 અને 2007માં ભાજપને જીત મળી હતી, ત્યાર પછી અહીં કોંગ્રેસ સતત ત્રણ વાર જીતી છે. કોંગ્રેસમાંથી 2012માં છબીલ પટેલ જીત્યા હતા, જેમને ભાજપે 2017માં ટિકિટ આપી, પણ ફરીવાર આ સીટ કોંગ્રેસને મળી અને કોંગ્રેસના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા જીતી ગયા. આ પછી હવે આ વખતે ભાજપે પ્રદ્યુમનસિંહ જાડેજાને પોતાના પક્ષ તરફથી ટિકિટ આપી છે. જયારે કોંગ્રેસે મામદ જતને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હવે જોવાનું એ છે કે આ સીટ કોને મળે છે.

બહુચરાજી બેઠક – બહુચર માતાનું સૌથી પ્રસિદ્ધ ધામ બહુચરાજીમાં પણ 2017માં કોંગ્રેસને જીત મળી હતી. આ બેઠક નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે, જેના પર 2012માં ભાજપે રજની પટેલને ટિકિટ આપી હતી અને જીત મેળવી હતી. ત્યારે આ વખતે ભાજપે સુખાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે ભોપાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.

ઉમિયા ધામ, ઊંઝા – ઊંઝામાં કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીનું ધામ છે, જે ભાજપનો ગઢ ગણાય છે. અહીં 2002થી 2012 સુધી ભાજપને જીત મળી છે, પણ પાટીદાર આંદોલનને કારણે 2017માં ભાજપે આ સીટ ગુમાવી હતી. 2017માં અહીંથી કોંગ્રેસના ઉમેદવાર આશાબેન પટેલ જીત્યા હતા. જો કે પછીથી તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ વખતે ભાજપે કિરીટ પટેલને તક આપી છે, જયારે કોંગ્રેસે નવા ચહેરાને તક આપતા અરવિંદ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

ડાકોર, ઠાસરા બેઠક – પ્રસિદ્ધ ધામ ડાકોર ઠાસરા બેઠકમાં આવે છે, અહીં ત્રણ ટર્મથી કોંગ્રેસનું વર્ચસ્વ છે. 2007 અને 2012માં રામસિંહ પરમાર જીત્યા હતા, તો 2017માં ભાજપે તેમને મેદાનમાં ઉતાર્યા, પણ કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ પરમાર સામે હારી ગયા હતા. ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપે નવા ચહેરા તક આપતા કાંતિભાઈ પરમારના દીકરા યોગેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી છે અને કોંગ્રેસે કાંતિભાઈ પરમારને રિપીટ કર્યા છે.

માતૃગયા તીર્થ, સિદ્ધપુર – સિદ્ધપુરમાં માતૃગયા તીર્થ આવેલું છે. અહીં પણ 1998 અને 2007ની ચૂંટણીમાં ભાજપ જીત્યું હતું પણ 2002 અને 2012માં અહીં કોંગ્રેસ જીતી હતી. આ વખતે ભાજપે કોંગ્રેસમાંથી જીતેલા બળવંતસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જયારે કોંગ્રેસે ધારાસભ્ય ચંદનજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.

જગન્નાથ મંદિર, જમાલપુર – અમદાવાદ શહેરની જમાલપુર બેઠક એકમાત્ર એવી બેઠક છે કે જ્યાં ભાજપ માત્ર 2012માં જ જીતી હતી. બાકીની ચારેય ટર્મમાં કોંગ્રેસ જીત્યું હતું. ભગવાન જગન્નાથજીનું મંદિર આ બેઠકના મત વિસ્તારમાં આવેલું છે. અહીં લઘુમતીનું વર્ચસ્વ હોવાને કારણે ભાજપ જીતી શકતી નથી. 2017માં આ બેઠક પરથી કોંગ્રેસ જીતી હતી. ત્યારે આ વખતે ભાજપે ભૂષણ ભટ્ટને મેદાનમાં ઉતાર્યા છે જયારે કોંગ્રેસે ઇમરાન ખેડાવાલાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પરથી આ બંને ત્રીજી વાર એકબીજાની આમનેસામને છે.

શેર 2
અગાઉની પોસ્ટ
જગદાનંદ સિંહ રહેશે RJDના પ્રદેશ અધ્યક્ષ, દિલ્હીમાં લાલુ યાદવ સાથે મુલાકાત બાદ લેવાયો નિર્ણય Article
આગામી પોસ્ટ
કેજરીવાલનું મિશન ગુજરાત – આ જિલ્લાઓમાં આવતી કાલથી સભા-રોડ શો કરશે
gujarat paheredar

Related posts

અમદાવાદ: ઓગસ્ટમાં વરસાદના રિસામણા! દર વર્ષની સરખામણીએ 80થી 85 ટકા ઓછો પડ્યો, સપ્ટેમ્બરમાં એવું રહેશે વાતાવરણ!

gujarat paheredarAugust 27, 2023

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો અમૃત કળશ મહોત્સવ યોજાયો

gujarat paheredarOctober 28, 2023

બાવળા-બગોદરા હાઈવેના ગમખ્વાર અકસ્માત બાદ સીએમએ ટ્વીટ કરી ભારે દુઃખ વ્યક્ત કર્યું

gujarat paheredarAugust 11, 2023

કોરોનાની દહેશત વચ્ચે આરોગ્ય વિભાગની બેઠક, સીએમએ રસી લેવા અને વધુ નાગરીકો વચ્ચે માસ્ક પહેરવા કહ્યું

gujarat paheredarDecember 23, 2022

વડોદરા – વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક

gujarat paheredarAugust 5, 2023

ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ ફાળવણીને લઈ અમદાવાદ જામા મસ્જિદના ઇમામનું ચર્ચાસ્પદ નિવેદન

gujarat paheredarDecember 4, 2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

gujarat paheredarMarch 2, 2024
March 2, 20240

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ...

gujarat paheredarMarch 1, 2024
March 1, 20240

વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

શિયાળામાં વહેલી સવારે દોડવાના છે ઘણા ફાયદા! રનિંગ કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

અમદાવાદ હાટ ખાતે મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા ‘દિવાળી હસ્તકલા ઉત્સવ’ પ્રદર્શન-સહ-વેચાણ મેળાને ખુલ્લો મુકાયો

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દારૂ કરતાં પણ વધુ ખતરનાક છે આ આદત! ઉંમરમાં કરે છે ઘટાડો, જાણો શું છે ઉપાય!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી દરમિયાન આવા સ્વપ્ન આવવા મનાય છે શુભ! જાણો તેની પાછળનું રહસ્ય!

gujarat paheredarNovember 5, 2023November 5, 2023
November 5, 2023November 5, 20230

માટી કે પાણીમાં મની પ્લાન્ટ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીં તો અટકાઈ જશે તેનો વિકાસ!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

gujarat paheredarNovember 5, 2023
November 5, 20230

Live by TradingView


Stock Market by TradingView

logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

132991
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક